લક્ષ્મણદાસજી મહારાજ અત્યંત કુશાગ્ર બુદ્ધિના હતા. પોતાના ગુરુજી પાસેથી જે સાધુશાહી કર્મકાંડ ભણ્યા હતા તે પ્રેમથી અને ઉત્સાહથી આત્મસાદ કરી લેતા. આચરણ અને શિષ્ટાચાર થી તોરીના ભક્તજનો ખૂબ જ સંતુષ્ટ હતા. આવી જ રીતે થોડા દિવસો પસાર થયા. રઘુનંદનદાસજીએ લક્ષ્મણદાસજીને ઉપદેશ આપ્યો હતો, જે કાંઇ આ ધનસંપત્તિ છે તે ભગવાન શ્રી લાલલજીની છે. ગામના માણસો છે તે બધા ભગવાને લાલજીના સેવકોની છે. માટે તેમની સાથે ક્યારેય દ્રોહ કરશો નહિ. ઇર્ષા, દ્વેષ રાખશો નહીં. કોઇનુંય ખરાબ થાય કે કોઇને ખરાબ લાગે તેવા કાર્યો કરશો નહીં. આમ જુઓ તો સાધુનું તો આ કર્તવ્ય જ છે. સદાને માટે મનને વશમાં રાખજે. જપ, તપ, યજ્ઞ વગેરે ઉત્તમ કર્મ કર્યા કરે છે. જનતાનું કલ્યાણ કેન્દ્રમાં રાખીને સત્કર્મ કરજો. નીતિ-નિયમોનું પાલન અવશ્ય કરજો. આ સાંભળીને લમણદાસજી મહારાજે રઘુનંદનદાસજીને પ્રશ્ન કર્યો અહીનાં ક્યા ક્યા નિયમો છે તે કૃપા કરીને મને જણાવો
રઘુનંદન દાસજી બોલ્યા “હે શિષ્ય!' આ સ્થળે જે કોઇ મહંત તરીકે રહે છે. તેણે વિરક્ત વૈષણવ જ રહેવું. આ સ્થળ ગૃહસ્થોનું નથી. ગામમાં કોઈ દિવસ જવું ન જોઈએ.રામલાલાને કોઇ આમંત્રણ આપે તો
ભગવાનની સાથે જવું જોઇએ. દર વર્ષે મકરસંક્રાતિ પર લાલજી નગરયાત્રા કરે ત્યારે સાથે સાથે
જવું જોઇએ.બહારગામ જવાની ઈચ્છા હોય તો જવું જોઈએ. પણ આવીને પૂર્વના નિયમ અનુસાર ખાધાપીધા
